બુધવારે પાકિસ્તાની ફાઇટર જેટ પ્લેન ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ વિમાનોનો પીછો કરતા તેમને ભારતમાંથી પરત ધકેલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારત પાકિસ્તાનની સીમા પર તણાવ સતત વધી ગયો છે. ત્યારે પાકિસ્તાનની આર્મીના વડા બાજવાને ભારતીય સેનાના હુમલાની બીક સતાવી રહી છે.
જીયો ટીવીની વેબસાઇટ પર છપાયેલા એક અહેવાલ મુજબ, આર્મી ચીફ બાજવાએ બુધવારે પાકિસ્તાની સાંસદો સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત વળતો હુમલો કરી શકે છે. તેમને ભારતના હુમલાની ચિંતા સતાવી રહી છે.
બુધવારે ભારતીય હવાઈ સીમા ક્રોસ કરીને પાકિસ્તાનના ફાઇટર પ્લેન એફ 16 ઇન્ડિયન સરહદમાં ઘુસ્યા હતા જેમાં ભારતે તેમના એક ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું. જોકે, જવાબી કાર્યવાહી દરમિયાન ભારતનું એક મીગ 21 ક્રેશ થયું હતું. પ્લેનમાંથી પેરાશૂટની મદદથી કૂદેલા ભારતીય પાઇલટ અભિનંદનને પાકિસ્તાને બંધક બનાવી લીધા છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, અભિનંદનને મુક્ત કરવામાં આવે તેમજ તેમનો વાળ પણ વાંકો થવો જોઈએ નહી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ સ્થિતિ સામાન્ય થયા બાદ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.
બુધવારે પાકિસ્તાની ફાઇટર જેટ પ્લેન ભારતીય સીમામાં ઘુસી આવ્યા હતા. આ વિમાનોનો પીછો કરતા તેમને ભારતમાંથી પરત ધકેલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારત પાકિસ્તાનની સીમા પર તણાવ સતત વધી ગયો છે. ત્યારે પાકિસ્તાનની આર્મીના વડા બાજવાને ભારતીય સેનાના હુમલાની બીક સતાવી રહી છે.
જીયો ટીવીની વેબસાઇટ પર છપાયેલા એક અહેવાલ મુજબ, આર્મી ચીફ બાજવાએ બુધવારે પાકિસ્તાની સાંસદો સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત વળતો હુમલો કરી શકે છે. તેમને ભારતના હુમલાની ચિંતા સતાવી રહી છે.
બુધવારે ભારતીય હવાઈ સીમા ક્રોસ કરીને પાકિસ્તાનના ફાઇટર પ્લેન એફ 16 ઇન્ડિયન સરહદમાં ઘુસ્યા હતા જેમાં ભારતે તેમના એક ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું. જોકે, જવાબી કાર્યવાહી દરમિયાન ભારતનું એક મીગ 21 ક્રેશ થયું હતું. પ્લેનમાંથી પેરાશૂટની મદદથી કૂદેલા ભારતીય પાઇલટ અભિનંદનને પાકિસ્તાને બંધક બનાવી લીધા છે. ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે, અભિનંદનને મુક્ત કરવામાં આવે તેમજ તેમનો વાળ પણ વાંકો થવો જોઈએ નહી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીએ સ્થિતિ સામાન્ય થયા બાદ અભિનંદનને મુક્ત કરવાની જાહેરાત કરી હતી.