પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભારતને ધમકી આપતા કહ્યું છે કે પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે અને ભારતે સમજવું પડશે કે તે ક્યાં જવા ચાહે છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ છે કે કૂટનીતિ નિષ્ફળ જવાની સ્થિતિમાં યુદ્ધ થાય છે. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ હતુ કે શાંતિની તેમની ઈચ્છાને નબળાઈ સમજવી જોઈએ નહીં.