પાકિસ્તાનની નાપાક હરકતો કોરોના સંકટ વચ્ચે યથાવત છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. મંગળવારે પણ જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી તોપમારો કરવામાં આવ્યો હતો. LoC પર પુંછ જિલ્લાના બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી પર LoC યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.
બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલ ગોળીબારથી કેટલાય ઢોર માર્યા ગયાની માહિતી મળી છે અને આ સાથે જ કેટલાય મકાનને નુકશાન થવા પામ્યુંં છે. પાકિસ્તાની સેનાએ સવારે 3 કલાકે બાલકોટ સેક્ટરમાં સૈન્ય અને લશ્કરી થાણાને નિશાન બનાવીને હળવા અને ભારે હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો હતો.પાકિસ્તાની સેના દ્વારા મોર્ટારના પ્રહારથી અડધી રાત્રે લોકોમાં હડકંપ મચી જવા પામી હતી. ત્યારબાદ સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની તોપમારો શાંત પડ્યો હતો. અડધી રાત્રની આ ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાનની નાપાક હરકતો કોરોના સંકટ વચ્ચે યથાવત છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. મંગળવારે પણ જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી તોપમારો કરવામાં આવ્યો હતો. LoC પર પુંછ જિલ્લાના બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી પર LoC યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.
બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલ ગોળીબારથી કેટલાય ઢોર માર્યા ગયાની માહિતી મળી છે અને આ સાથે જ કેટલાય મકાનને નુકશાન થવા પામ્યુંં છે. પાકિસ્તાની સેનાએ સવારે 3 કલાકે બાલકોટ સેક્ટરમાં સૈન્ય અને લશ્કરી થાણાને નિશાન બનાવીને હળવા અને ભારે હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો હતો.પાકિસ્તાની સેના દ્વારા મોર્ટારના પ્રહારથી અડધી રાત્રે લોકોમાં હડકંપ મચી જવા પામી હતી. ત્યારબાદ સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની તોપમારો શાંત પડ્યો હતો. અડધી રાત્રની આ ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.