પાકિસ્તાની સંસદે બાળકો સાથે દુષ્કર્મ અને હત્યાના દોષિતોને જાહેરમાં ફાંસી આપવાના પ્રસ્તાવને આજે (શુક્રવારે) મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ સંસદીય રાજ્ય કાર્યમંત્રી અલી મોહમ્મદ ખાને રજૂ કર્યો હતો. સાંસદોએ આ પ્રસ્તાવને બહુમતી સાથે પાસ કર્યો છે. બીજી બાજુ સરકારમાં માનવધિકાર મંત્રી શિરીન મજારીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ પ્રસ્તાવ સરકાર દ્વારા પ્રાયોજિત નથી પરંતુ એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
આ કાયદો સંયુક્ત રાષ્ટ્રના કાયદાનું ઉલ્લંઘન : પૂર્વ વડાપ્રધાન પરવેઝ અશરફ
જોકે પાકિસ્તાની પીપુલ્સ પાર્ટી (PPP)ના નેતા અને પૂર્વ વડાપ્રધાન પરવેઝ અશરફે કહ્યું છે કે, સજાની કઠોરતા વધારવાથી ગુનામાં ઘટાડો નથી થતો. આપણે જાહેરમાં ફાંસી આપવાનો કાયદો ન લાવવો જોઈએ, કારણકે તે સંયુક્ત રાષ્ટ્રના કાયદાનું ઉલ્લંઘન કરે છે.
પાકિસ્તાની સંસદે બાળકો સાથે દુષ્કર્મ અને હત્યાના દોષિતોને જાહેરમાં ફાંસી આપવાના પ્રસ્તાવને આજે (શુક્રવારે) મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ સંસદીય રાજ્ય કાર્યમંત્રી અલી મોહમ્મદ ખાને રજૂ કર્યો હતો. સાંસદોએ આ પ્રસ્તાવને બહુમતી સાથે પાસ કર્યો છે. બીજી બાજુ સરકારમાં માનવધિકાર મંત્રી શિરીન મજારીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ પ્રસ્તાવ સરકાર દ્વારા પ્રાયોજિત નથી પરંતુ એક વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
આ કાયદો સંયુક્ત રાષ્ટ્રના કાયદાનું ઉલ્લંઘન : પૂર્વ વડાપ્રધાન પરવેઝ અશરફ
જોકે પાકિસ્તાની પીપુલ્સ પાર્ટી (PPP)ના નેતા અને પૂર્વ વડાપ્રધાન પરવેઝ અશરફે કહ્યું છે કે, સજાની કઠોરતા વધારવાથી ગુનામાં ઘટાડો નથી થતો. આપણે જાહેરમાં ફાંસી આપવાનો કાયદો ન લાવવો જોઈએ, કારણકે તે સંયુક્ત રાષ્ટ્રના કાયદાનું ઉલ્લંઘન કરે છે.