નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ તારિક અનવરે પાર્ટીમાંથી અને લોકસભાનાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અનવર બિહારના કટિહારથી લોકસભાના સાંસદ છે. પાર્ટીઅધ્યક્ષ શરદ પવારે ગુરુવારે રાફેલ સોદામાં પીએમ મોદીને ક્લીન ચિટ આપતાં મામલો ગરમાયો હતો અને પવારથી નારાજ અનવરે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. પવારે કહ્યું હતું કે રાફેલ સોદા અંગે મોદીના ઇરાદાને લઈને જનતાએ મનમાં શંકા કરવી જોઈએ નહીં. સરકારે રાફેલ સોદો રૂ. ૫૮,૦૦૦ કરોડમાં કર્યો હતો. અનવરે રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસની માગણી કરી હતી.
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ તારિક અનવરે પાર્ટીમાંથી અને લોકસભાનાં સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. અનવર બિહારના કટિહારથી લોકસભાના સાંસદ છે. પાર્ટીઅધ્યક્ષ શરદ પવારે ગુરુવારે રાફેલ સોદામાં પીએમ મોદીને ક્લીન ચિટ આપતાં મામલો ગરમાયો હતો અને પવારથી નારાજ અનવરે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. પવારે કહ્યું હતું કે રાફેલ સોદા અંગે મોદીના ઇરાદાને લઈને જનતાએ મનમાં શંકા કરવી જોઈએ નહીં. સરકારે રાફેલ સોદો રૂ. ૫૮,૦૦૦ કરોડમાં કર્યો હતો. અનવરે રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસની માગણી કરી હતી.