ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ રાજ્ય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યાં છે.ખાનગી હોસ્પિટલોનેકોરોનાની સારવારના ચાર્જ 10 ટકા ઘટાડવા આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે.
ત્યારબાદ હવે રાજય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા સરકારે રાજયમાં 20થી વધુ બેડ ધરાવતી પ્રાઇવેટ હોસ્પિટલોનાં 50% બેડ કોરોનાનાં દર્દી માટે રિઝર્વ રાખવાનો હુકમ કર્યો છે. જોકે, સરકારે આ બધું જ હાઇકોર્ટોના આદેશ બાદ કર્યુ છે.
રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ રાજ્ય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યાં છે.ખાનગી હોસ્પિટલોનેકોરોનાની સારવારના ચાર્જ 10 ટકા ઘટાડવા આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. જો કાયદાનો ભંગ થશે તો કેસ પણ ચલાવવામાં આવશે.
ત્યારબાદ હવે રાજય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર દ્વારા સરકારે રાજયમાં 20થી વધુ બેડ ધરાવતી પ્રાઇવેટ હોસ્પિટલોનાં 50% બેડ કોરોનાનાં દર્દી માટે રિઝર્વ રાખવાનો હુકમ કર્યો છે. જોકે, સરકારે આ બધું જ હાઇકોર્ટોના આદેશ બાદ કર્યુ છે.
રાજ્યમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ICMRને પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે.