પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 જવાનોની શહીદી અને ચીની ઘૂસણખોરીને લઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પહેલેથી જ કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધી એક પછી એક સવાલો કરીને મોદી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધીને તેમના જ અસ્ત્ર વડે સવાલોના કઠેડામાં ઉભા રાખી દીધા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સદસ્ય હોવા છતા સમિતિની કોઈ પણ બેઠકમાં સામેલ નથી થતા. પરંતુ સાથે જ દુખની વાત એ છે કે તેઓ રાષ્ટ્રનું મનોબળ નીચું પાડવાનું સતત ચાલુ રાખે છે.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, 'રાહુલ ગાંધી એક ગૌરવશાળી વંશ પરંપરા સાથે સંકળાયેલા છે જ્યાં સમિતિઓનું કોઈ મહત્વ નથી. કોંગ્રેસમાં અનેક એવા યોગ્ય સદસ્યો છે જે સંસદીય મુદ્દા સમજે છે પરંતુ એક રાજવંશ આવા નેતાઓને કદી આગળ નહીં વધવા દે.'
પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 જવાનોની શહીદી અને ચીની ઘૂસણખોરીને લઈ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પહેલેથી જ કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધી એક પછી એક સવાલો કરીને મોદી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે ભાજપે રાહુલ ગાંધીને તેમના જ અસ્ત્ર વડે સવાલોના કઠેડામાં ઉભા રાખી દીધા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સંરક્ષણ સમિતિના સદસ્ય હોવા છતા સમિતિની કોઈ પણ બેઠકમાં સામેલ નથી થતા. પરંતુ સાથે જ દુખની વાત એ છે કે તેઓ રાષ્ટ્રનું મનોબળ નીચું પાડવાનું સતત ચાલુ રાખે છે.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, 'રાહુલ ગાંધી એક ગૌરવશાળી વંશ પરંપરા સાથે સંકળાયેલા છે જ્યાં સમિતિઓનું કોઈ મહત્વ નથી. કોંગ્રેસમાં અનેક એવા યોગ્ય સદસ્યો છે જે સંસદીય મુદ્દા સમજે છે પરંતુ એક રાજવંશ આવા નેતાઓને કદી આગળ નહીં વધવા દે.'