Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

“ભારત બચાઓ રેલી”માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ એકલા હાથે દેશની અર્થ વ્યવસ્થાને નષ્ટ કરી છે. કાળા નાણાં મુદ્દે નરેન્દ્ર મોદીએ જૂઠ્ઠાણું ચલાવ્યું છે.

પોતાના “રેપ ઈન ઈન્ડિયા” નિવેદન પર સંસદમાં માફી માંગવા પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું કોઈનાથી ડરતો નથી. હું ક્યારેય માફી નહી માંગું. મારું નામ રાહુલ સાવરકર નહી, ગાંધી છે. હું સચ્ચાઈ માટે ક્યારેય માફી નહીં માંગુ. માફી નરેન્દ્ર મોદી અને અમિત શાહે માંગવી જોઈએ.

નોટબંધી, GST અને GDP પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકારે રાત્રે 12 વાગ્યે ગબ્બર સિંહ ટેક્સ લાગુ કર્યો. GSTના કારણે છેલ્લા 45 વર્ષમાં દેશમાં સૌથી વધુ બેરોજગારી છે. દેશમાં GDP 9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગઈ. મોદી સરકારે GDP નક્કી કરવાના માપદંડ બદલ્યા, જો જૂની રીતે દેશની GDP આંકીએ તો GDPનો આંકડે 2.5 ટકા છે.

“ભારત બચાઓ રેલી”માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ એકલા હાથે દેશની અર્થ વ્યવસ્થાને નષ્ટ કરી છે. કાળા નાણાં મુદ્દે નરેન્દ્ર મોદીએ જૂઠ્ઠાણું ચલાવ્યું છે.

પોતાના “રેપ ઈન ઈન્ડિયા” નિવેદન પર સંસદમાં માફી માંગવા પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું કોઈનાથી ડરતો નથી. હું ક્યારેય માફી નહી માંગું. મારું નામ રાહુલ સાવરકર નહી, ગાંધી છે. હું સચ્ચાઈ માટે ક્યારેય માફી નહીં માંગુ. માફી નરેન્દ્ર મોદી અને અમિત શાહે માંગવી જોઈએ.

નોટબંધી, GST અને GDP પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકારે રાત્રે 12 વાગ્યે ગબ્બર સિંહ ટેક્સ લાગુ કર્યો. GSTના કારણે છેલ્લા 45 વર્ષમાં દેશમાં સૌથી વધુ બેરોજગારી છે. દેશમાં GDP 9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગઈ. મોદી સરકારે GDP નક્કી કરવાના માપદંડ બદલ્યા, જો જૂની રીતે દેશની GDP આંકીએ તો GDPનો આંકડે 2.5 ટકા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ