કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને અસ્થિર બનાવવા ભાજપ દ્વારા બંને પાર્ટીના ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી હોવાના આરોપો મધ્યે શુક્રવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના તમામ ૮૦ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવાની સૂચના છતાં ચાર ધારાસભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસમાં બળવાની સંભાવના પ્રબળ બની હતી. ચાર ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને બેંગલોરના ઇગલટોન રિસોર્ટમાં ખસેડયાં હતાં. કોંગ્રેસ વિધાનસભા પક્ષની બે કલાક વિલંબથી શરૂ થયેલી બેઠકમાં કુલ ૮૦માંથી ૭૫ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને અસ્થિર બનાવવા ભાજપ દ્વારા બંને પાર્ટીના ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી હોવાના આરોપો મધ્યે શુક્રવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. કોંગ્રેસના તમામ ૮૦ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવાની સૂચના છતાં ચાર ધારાસભ્યો ગેરહાજર રહેતાં કોંગ્રેસમાં બળવાની સંભાવના પ્રબળ બની હતી. ચાર ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહ્યા બાદ કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને બેંગલોરના ઇગલટોન રિસોર્ટમાં ખસેડયાં હતાં. કોંગ્રેસ વિધાનસભા પક્ષની બે કલાક વિલંબથી શરૂ થયેલી બેઠકમાં કુલ ૮૦માંથી ૭૫ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.