Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લૉકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર, ફેન્સિંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો. આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સિંગ કામગીરી બંધ ન કરાતા. છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેન્સિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવા છતાં તંત્રના કોઈપણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતાં. ત્યારબાદ એનસીપીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા મુલાકાતે આવ્યા હતા. તેઓને પણ 6 ગામ લોકો સુધી જવા નથી દેવામાં આવ્યા પણ 6 ગામના આગેવાનોને વસંતપુરા ખાતે શંકરસિંહ બાપુને મળવા માટે આવા દેવામાં આવ્યા હતા. શંકરસિંહ સાથેની મુલાકાતમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે, અમારે સરકારનું પેકેજ નથી જોઈતું અમને અમારી જગ્યા પર જ રહેવા દો.
 

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લૉકડાઉન હોવા છતાં તંત્ર દ્વારા તાર, ફેન્સિંગની કામગીરી સામે આદિવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો અને 6 ગામની મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી કામગીરીનો વિરોધ કર્યો હતો. આટલો વિરોધ હોવા છતાં પણ તંત્ર દ્વારા ફેન્સિંગ કામગીરી બંધ ન કરાતા. છેલ્લા ઘણા દિવસોથી તાર-ફેન્સિંગ કામગીરીનો 6 ગામના આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હોવા છતાં તંત્રના કોઈપણ અધિકારીઓ આ વિરોધ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર ન હતાં. ત્યારબાદ એનસીપીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા મુલાકાતે આવ્યા હતા. તેઓને પણ 6 ગામ લોકો સુધી જવા નથી દેવામાં આવ્યા પણ 6 ગામના આગેવાનોને વસંતપુરા ખાતે શંકરસિંહ બાપુને મળવા માટે આવા દેવામાં આવ્યા હતા. શંકરસિંહ સાથેની મુલાકાતમાં ગ્રામજનો એ જણાવ્યું હતું કે, અમારે સરકારનું પેકેજ નથી જોઈતું અમને અમારી જગ્યા પર જ રહેવા દો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ