કોરોનાગ્રસ્ત થયેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના સામેનો જંગ જીતી ગયા છે. 79 વર્ષના શંકરસિંહ વાઘેલાનો 27 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે પહેલાં તેઓ વસંતવગડામાં પોતાના નિવાસ સ્થાને ક્વોરન્ટાઇન થયા હતા. પરંતુ તબિયત લથડા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે આક્રમક મિજાજના બાપુએ કોરોનાને પણ માત આપી દીધી અને માત્ર 10 જ દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી સોમવારે રજા આપવામાં આવી હતી.
કોરોનાગ્રસ્ત થયેલા ગુજરાતના માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોના સામેનો જંગ જીતી ગયા છે. 79 વર્ષના શંકરસિંહ વાઘેલાનો 27 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે પહેલાં તેઓ વસંતવગડામાં પોતાના નિવાસ સ્થાને ક્વોરન્ટાઇન થયા હતા. પરંતુ તબિયત લથડા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે આક્રમક મિજાજના બાપુએ કોરોનાને પણ માત આપી દીધી અને માત્ર 10 જ દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી સોમવારે રજા આપવામાં આવી હતી.