દેશમાં કોરોના સંકટ અને તેના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસી મજૂરો સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ સાથે સંકળાયેલા મુદ્દા પર ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ દરમિયાન જણાવ્યું કે, પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો પાસે ટ્રેન અને બસનું ભાડુ ના લેવું જોઈએ. મજૂરોના જવાનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવો જોઈએ.
આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટે પ્રવાસી મજૂરોની હાલની સ્થિતિ અંગે વાકેફ કરાવી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી મજૂરો માટે કરવામાં આવેલી રેલ ટિકિટ અને ખાણી-પીણીની વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું હતું કે, શું મજૂરો પાસેથી રેલ ટિકિટોના પૈસા લેવામાં આવી રહ્યાં છે?
આ ખંડપીઠે આ પ્રવાસી મજૂરોની મુસાફરીમાં ભાડા વિશે પ્રશ્ન પૂછ્યો અને જણાવ્યું કે, આપણા દેશમાં મધ્યસ્થીઓ કાયમ રહે છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે, જ્યારે ભાડાની ચૂકવણીનો પ્રશ્ન થાય, ત્યારે તેમાં મધ્યસ્થીઓ હોય. આ મામલે એક સ્પષ્ટ નીતિ હોવી જોઈએ કે, પ્રવાસી મજૂરોની મુસાફરીનો ખર્ચો કોણ ભોગવશે? કોર્ટે આ દરમિયાન જણાવ્યું કે, પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડુ ના લેવામાં આવે. મજૂરોના જવાનો ખર્ચો રાજ્યને ભોગવવો પડશે.
દેશમાં કોરોના સંકટ અને તેના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લૉકડાઉનના કારણે પ્રવાસી મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રવાસી મજૂરો સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ સાથે સંકળાયેલા મુદ્દા પર ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ દરમિયાન જણાવ્યું કે, પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો પાસે ટ્રેન અને બસનું ભાડુ ના લેવું જોઈએ. મજૂરોના જવાનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવો જોઈએ.
આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટે પ્રવાસી મજૂરોની હાલની સ્થિતિ અંગે વાકેફ કરાવી હતી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી મજૂરો માટે કરવામાં આવેલી રેલ ટિકિટ અને ખાણી-પીણીની વ્યવસ્થાને લઈને પ્રશ્નો પૂછ્યા હતા.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પૂછ્યું હતું કે, શું મજૂરો પાસેથી રેલ ટિકિટોના પૈસા લેવામાં આવી રહ્યાં છે?
આ ખંડપીઠે આ પ્રવાસી મજૂરોની મુસાફરીમાં ભાડા વિશે પ્રશ્ન પૂછ્યો અને જણાવ્યું કે, આપણા દેશમાં મધ્યસ્થીઓ કાયમ રહે છે, પરંતુ અમે નથી ઈચ્છતા કે, જ્યારે ભાડાની ચૂકવણીનો પ્રશ્ન થાય, ત્યારે તેમાં મધ્યસ્થીઓ હોય. આ મામલે એક સ્પષ્ટ નીતિ હોવી જોઈએ કે, પ્રવાસી મજૂરોની મુસાફરીનો ખર્ચો કોણ ભોગવશે? કોર્ટે આ દરમિયાન જણાવ્યું કે, પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરો પાસેથી ટ્રેન કે બસનું ભાડુ ના લેવામાં આવે. મજૂરોના જવાનો ખર્ચો રાજ્યને ભોગવવો પડશે.