અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો નથી. અયોધ્યા કેસના મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ૧૯૯૪ના આ ચુકાદાની પુનઃ સમીક્ષાની માગ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓની ૧૯૯૪ના ચુકાદાની લાર્જર બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરાવવાની માગને બે વિરુદ્ધ એકના બહુમતી ચુકાદાથી ફગાવી દીધી હતી. સુપ્રીમની ૩ જજની બેન્ચના આ ચુકાદાને પગલે ૨૯મી ઓક્ટોબરથી મુખ્ય અયોધ્યા ટાઇટલ કેસની સુનાવણીનો માર્ગ મોકળો બન્યો છે.
અયોધ્યા જમીન વિવાદ કેસમાં સુનાવણી દરમિયાન મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો છે કે નહીં તે અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, મસ્જિદ ઇસ્લામનો આંતરિક હિસ્સો નથી. અયોધ્યા કેસના મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ૧૯૯૪ના આ ચુકાદાની પુનઃ સમીક્ષાની માગ કરી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે અરજકર્તાઓની ૧૯૯૪ના ચુકાદાની લાર્જર બેન્ચ દ્વારા પુનઃ સમીક્ષા કરાવવાની માગને બે વિરુદ્ધ એકના બહુમતી ચુકાદાથી ફગાવી દીધી હતી. સુપ્રીમની ૩ જજની બેન્ચના આ ચુકાદાને પગલે ૨૯મી ઓક્ટોબરથી મુખ્ય અયોધ્યા ટાઇટલ કેસની સુનાવણીનો માર્ગ મોકળો બન્યો છે.