કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. ટાટા ગ્રુપે આ માટે 500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ કર્મચારીઓ, દર્દીઓ માટે ટાટા ગ્રુપે તાજ હોટલ સાથે મળીને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરી છે. કોરોના સામેની જંગમાં ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય મેડિકલ સ્ટાફ રાત દિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, વાયરસ ઘરે ન પહોંચે એ માટે તેઓ ઘરે પણ નથી જઇ રહ્યા. એવામાં તેમની ખાવા-પીવાની વ્યવસ્થા ખોરવાઇ જતા ટાટા ગ્રુપે આ જવાબદારી ઉઠાવી છે.
કોરોના વાયરસ જેવી ભયાનક મહામારી સામેની જંગમાં દેશના ઉદ્યોગપતિઓ પણ મદદે આવી રહ્યા છે. ટાટા ગ્રુપે આ માટે 500 કરોડ રુપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સાથે-સાથે કોરોના સામેની જંગમાં લડી રહેલા ડોક્ટર્સ, નર્સીસ અને મેડિકલ કર્મચારીઓ, દર્દીઓ માટે ટાટા ગ્રુપે તાજ હોટલ સાથે મળીને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરી છે. કોરોના સામેની જંગમાં ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય મેડિકલ સ્ટાફ રાત દિવસ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, વાયરસ ઘરે ન પહોંચે એ માટે તેઓ ઘરે પણ નથી જઇ રહ્યા. એવામાં તેમની ખાવા-પીવાની વ્યવસ્થા ખોરવાઇ જતા ટાટા ગ્રુપે આ જવાબદારી ઉઠાવી છે.