કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ૫.૦ માટે ૩૦ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સને હવે ૩૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલી અનલોક ૫.૦ની ગાઇડલાઇન ૩૧ ઓક્ટોબરે પૂરી થતી હતી પરંતુ હવે તેને ૧ મહિના માટે લંબાવી દેવાઇ છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ બહાર પાડયો હતો. જે રાજ્યો અને શહેરોમાં જ્યાં જ્યાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે ત્યાં ૩૦ નવેમ્બર સુધી લોકડાઉનનો કડક અમલ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે ૫૦ ટકા સીટો સાથે સિનેમાઘરો, થિયેટર અને મલ્ટિપ્લેક્સ ખોલવા સહિત જે પ્રવૃત્તિઓ માટે છૂટ આપવામાં આવી હતી તે તમામ પ્રવૃત્તિઓ માટેની ગાઇડલાઇન્સ હવે ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ૫.૦ માટે ૩૦ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સને હવે ૩૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલી અનલોક ૫.૦ની ગાઇડલાઇન ૩૧ ઓક્ટોબરે પૂરી થતી હતી પરંતુ હવે તેને ૧ મહિના માટે લંબાવી દેવાઇ છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ બહાર પાડયો હતો. જે રાજ્યો અને શહેરોમાં જ્યાં જ્યાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે ત્યાં ૩૦ નવેમ્બર સુધી લોકડાઉનનો કડક અમલ ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે ૫૦ ટકા સીટો સાથે સિનેમાઘરો, થિયેટર અને મલ્ટિપ્લેક્સ ખોલવા સહિત જે પ્રવૃત્તિઓ માટે છૂટ આપવામાં આવી હતી તે તમામ પ્રવૃત્તિઓ માટેની ગાઇડલાઇન્સ હવે ૩૦ નવેમ્બર સુધી અમલમાં રહેશે.