ઉપરવાસમાં પડેલા નોંધપાત્ર વરસાદને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 39,522 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1553.16 મિલિયન ક્યુબીક મીટર છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી છે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટરે છે. નર્મદા ડેમમાં દરવાજા પાણી પહોંચવાની તૈયારી પણ હાલ દરવાજા ખોલવામાં નહી આવે. ડેમમાં જળસંગ્રહ માટેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. છેલ્લા 24 કલાકમાં 30 સેમીનો વધારો થયો છે.