એપ્રિલ ૨૦૨૦માં ૧૭ રાજ્યોના ૫૫ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી આ બેઠકો ભરવા માટે ચૂંટણી પંચે ૨૬ માર્ચના રોજ મધ્યાવધિ ચૂંટણી યોજવાની મંગળવારે જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામુ ૬ માર્ચના રોજ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩ માર્ચ રહેશે. ૧૬ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવાર ૧૮ માર્ચ સુધી પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શક્શે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપર દ્વારા કરાશે.
એપ્રિલ ૨૦૨૦માં ૧૭ રાજ્યોના ૫૫ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી આ બેઠકો ભરવા માટે ચૂંટણી પંચે ૨૬ માર્ચના રોજ મધ્યાવધિ ચૂંટણી યોજવાની મંગળવારે જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામુ ૬ માર્ચના રોજ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩ માર્ચ રહેશે. ૧૬ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવાર ૧૮ માર્ચ સુધી પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શક્શે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપર દ્વારા કરાશે.