-
સુપ્રિમ કોર્ટમાં આજે 16મીએ સીબીઆઇ વિ.સીબીઆઇ વિવાદ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી ત્યારે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીજેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ રજૂઆત કરી કે તેમની પાસે સીવીસી(કેન્દ્રીય તકેદારી આયોગ)ના તપાસ રિપોર્ટની કોઇ નકલ નથી. ત્યારે સીજે જસ્ટીસ રંજન ગોગોઇએ મહેતાને સવાલ કર્યો- તમે કોણ...? જ્યારે જવાબમાં મહેતાએ કહ્યું કે તેઓ સીવીસી તરફથી કેસના વકીલ છે ત્યારે સીજેએ તરત જ કહ્યું કે એ... એટલે કે તમે જ એ રિપોર્ટને તૈયાર કરનાર છો અને તમારી પાસે જ આ રિપોર્ટ નથી. કોર્ટે કોઇપણ પક્ષકારને રિપોર્ટ આપવા ઇન્કાર કરીને કહ્યું કે જેમની સામે આરોપ છે તે સીબીઆઇના વડા આલોક વર્માને સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ અપાશે. જેના પર વર્મા આગામી સુનાવણી 19મી નવે.ના રોજ બપોરના 1 વાગ્યા સુધી પોતાનો જવાબ રજૂ કરી શક્શે.
-
સુપ્રિમ કોર્ટમાં આજે 16મીએ સીબીઆઇ વિ.સીબીઆઇ વિવાદ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી ત્યારે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીજેની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ રજૂઆત કરી કે તેમની પાસે સીવીસી(કેન્દ્રીય તકેદારી આયોગ)ના તપાસ રિપોર્ટની કોઇ નકલ નથી. ત્યારે સીજે જસ્ટીસ રંજન ગોગોઇએ મહેતાને સવાલ કર્યો- તમે કોણ...? જ્યારે જવાબમાં મહેતાએ કહ્યું કે તેઓ સીવીસી તરફથી કેસના વકીલ છે ત્યારે સીજેએ તરત જ કહ્યું કે એ... એટલે કે તમે જ એ રિપોર્ટને તૈયાર કરનાર છો અને તમારી પાસે જ આ રિપોર્ટ નથી. કોર્ટે કોઇપણ પક્ષકારને રિપોર્ટ આપવા ઇન્કાર કરીને કહ્યું કે જેમની સામે આરોપ છે તે સીબીઆઇના વડા આલોક વર્માને સીલબંધ કવરમાં તપાસ રિપોર્ટ અપાશે. જેના પર વર્મા આગામી સુનાવણી 19મી નવે.ના રોજ બપોરના 1 વાગ્યા સુધી પોતાનો જવાબ રજૂ કરી શક્શે.