Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પરશોત્તમ રુપાલાના વિરુદ્ધમાં નર્મદા જિલ્લા ભાજપના આઠ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રૂપાલા વિરુદ્ધનું ક્ષત્રિ આંદોલન ભાજપ વિરુદ્ધનું બની રહ્યું હોય તેમ એક પછી એક ઘટના બની રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ કહ્યાં છતા પરશોત્તમ રુપાલાને રાજકોટ બેઠકથી ભાજપે ના હટાવતા હવે ભાજપ હટાવોનું સૂત્ર થઈ ગયું છે. જેના પગલે, નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના 8 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે.જિલ્લા સ્તરના આગેવાનોએ નર્મદા કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા આપી દીધા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખે આ અંગે જણાવ્યું કે, આ તો અમારો પરિવાર છે, થોડા નારાજ છે પણ ચૂંટણી પહેલા અમારી સાથે થઈ જશે. આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ