બનાસકાંઠા બેઠક પર આ વખતે કોંગ્રેસે પરથીભાઈ ભટોળને ટીકીટ આપવામાં આવેલ છે. ભટોળની રાજકિય કારકિર્દી એટલી મજબુત નથી પણ સહકારી ક્ષેત્રમાં તેઓની પક્કડ બહુ જ ભારે છે. બનાસકાંઠામાં એક પ્રકારે લોકચાહના ધરાવે છે.
પરથીભાઈ ભટોળ પ્રથમ વખત કોઈ રાજકિય પાર્ટીના નિશાન પર ચુંટણી લડી રહ્યા છે. તેઓ સહકારી રાજકારણ સાથે છેલ્લા ૪૦ વર્ષથી પણ વધુ સક્રિય છે. જેમાં એશિયાની સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસ ડેરીના સતત ૨૪ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતા. તેના પહેલા વિવિધ સહકારી ક્ષેત્રોમાં ચેરમેન અને ડીરેક્ટર પદો પર પણ રહેલા છે. હાલ પણ પરથીભાઈ ભટોળ બનાસ ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર છે અને ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ ચેરમેન પદે રહી ચુક્યા છે.
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ કોઈ રાજકિય પાર્ટીમાંથી ચુંટણી લડી નથી. આ વખતે પહેલી વખત ચુંટણી લડી રહ્યા છે. તેઓના પુત્ર વસંત ભટોળ દાંતા વિધાનસભા બેઠક પર ભાજપ પક્ષમાંથી એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી શિક્ષણની લાયકાત ધરાવે છે. પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૨.૭૫ કરોડની સંપત્તી જાહેર કરેલ છે અને તેઓના પર એક પણ કોઈ ગુનાહિત કેસ થયેલ નથી. પરથીભાઈ ભટોળ આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે.
બનાસકાંઠા બેઠક પર આ વખતે કોંગ્રેસે પરથીભાઈ ભટોળને ટીકીટ આપવામાં આવેલ છે. ભટોળની રાજકિય કારકિર્દી એટલી મજબુત નથી પણ સહકારી ક્ષેત્રમાં તેઓની પક્કડ બહુ જ ભારે છે. બનાસકાંઠામાં એક પ્રકારે લોકચાહના ધરાવે છે.
પરથીભાઈ ભટોળ પ્રથમ વખત કોઈ રાજકિય પાર્ટીના નિશાન પર ચુંટણી લડી રહ્યા છે. તેઓ સહકારી રાજકારણ સાથે છેલ્લા ૪૦ વર્ષથી પણ વધુ સક્રિય છે. જેમાં એશિયાની સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસ ડેરીના સતત ૨૪ વર્ષ સુધી ચેરમેન પદે રહ્યા હતા. તેના પહેલા વિવિધ સહકારી ક્ષેત્રોમાં ચેરમેન અને ડીરેક્ટર પદો પર પણ રહેલા છે. હાલ પણ પરથીભાઈ ભટોળ બનાસ ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર છે અને ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ ચેરમેન પદે રહી ચુક્યા છે.
બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ કોઈ રાજકિય પાર્ટીમાંથી ચુંટણી લડી નથી. આ વખતે પહેલી વખત ચુંટણી લડી રહ્યા છે. તેઓના પુત્ર વસંત ભટોળ દાંતા વિધાનસભા બેઠક પર ભાજપ પક્ષમાંથી એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી શિક્ષણની લાયકાત ધરાવે છે. પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભરતી વખતે ૨.૭૫ કરોડની સંપત્તી જાહેર કરેલ છે અને તેઓના પર એક પણ કોઈ ગુનાહિત કેસ થયેલ નથી. પરથીભાઈ ભટોળ આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે.