દેશ આજે 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજે રાજપથ પર થનારા ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચશે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તે બાદ રાજપથ ખાતે સત્તાવાર રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પ્રારંભ થશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો આજે યોજાનારા સમારોહના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ દેશની સુરક્ષામાં તહેનાત વિવિધ સુરક્ષાદળોની પરેડ સલામ લેશે. આ પછી, દેશના વિવિધ રાજ્યો અને મંત્રાલયોની ટેબ્લો રજૂ કરવામાં આવશે.
દેશ આજે 71મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજે રાજપથ પર થનારા ગણતંત્ર દિવસ સમારોહ માટે દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચશે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તે બાદ રાજપથ ખાતે સત્તાવાર રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો પ્રારંભ થશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો આજે યોજાનારા સમારોહના મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમ દેશની સુરક્ષામાં તહેનાત વિવિધ સુરક્ષાદળોની પરેડ સલામ લેશે. આ પછી, દેશના વિવિધ રાજ્યો અને મંત્રાલયોની ટેબ્લો રજૂ કરવામાં આવશે.