રાહુલ ગાંધી (RAHUL GANDHI) એ વિદેશ મંત્રી એસ.જયશંકરના એક નિવેદન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે અગાઉથી માહિતી હતી. રાહુલે પૂછ્યું કે, શું આનાથી ભારતીય વાયુસેનાને કોઈ નુકસાન થયું ? કોંગ્રેસના પ્રવક્તાઓએ તેને મુદ્દો બનાવ્યો અને જયશંકરને બાતમીદાર પણ કહ્યા હતા. બીજી તરફ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.