વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદ સામેનું ભારતનું ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું, આતંકી હુમલાનો આક્રામક જવાબ આપવા મક્કમ ભારત પરમાણુ બોમ્બની શેંખીથી ડરવાનો નથી. આતંકવાદની સરખામણી સાપ સાથે કરતા મોદીએ કહ્યું હતું કે જો આતંક નામના સાપે ફરી ફેણ કાઢી તો તેના દરમાંથી ખેંચીને બહાર કાઢીને તેને કચડી નાખવામાં આવશે.