જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયાં ખાતે બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા છે. તેમાંથી એક જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
શોપિયાં એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી. આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો.
જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા દળોનું આતંકવાદીઓ વિરૂદ્ધનું ઓપરેશન ચાલુ છે. શોપિયાં ખાતે બુધવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન જવાનોએ 2 આતંકવાદીઓને ઢેર કરી દીધા હતા. જોકે આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા છે. તેમાંથી એક જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
શોપિયાં એન્કાઉન્ટરમાં જે 2 આતંકવાદીઓ માર્યા ગયા છે તેમાંથી એક આતંકવાદીની ઓળખ આદિલ વાની તરીકે સામે આવી છે. તે જુલાઈ 2020માં આતંકવાદી સંગઠનો સાથે જોડાયો હતો. તેણે પુલવામા ખાતે ઉત્તર પ્રદેશના સહારનપુરના મૂળ નિવાસી પ્રવાસી મજૂરની હત્યા કરી હતી. આદિલ TRFનો જિલ્લા કમાન્ડર હતો.