સંગીતની દુનિયાનું જાણીતું નામ એટલે લતામંગેશકર, સુર કોકીલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકરની યાદમાં, તેમના પરિવારે સોમવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની જાહેરાત કરી હતી.
લતા મંગેશકર અને તેમના પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં, આ પુરસ્કાર દર વર્ષે 24મી એપ્રિલે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર દેશની એવી વ્યક્તિને આપવામાં આવશે કે જેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હોય. આ વખતે પહેલો એવોર્ડ પીએમ મોદીના નામે કરવામાં આવ્યો છે.
એક બેઠક બાદ મંગેશકર પરિવારે એક નિવેદનમાં કહ્યું, “આ વર્ષે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે પ્રસંગે અમે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. આ પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર અને સમાજ માટે માર્ગદર્શક તરીકે સેવા આપીને ઉત્કૃષ્ટ અને અનુકરણીય યોગદાન આપ્યું હોય.
સંગીતની દુનિયાનું જાણીતું નામ એટલે લતામંગેશકર, સુર કોકીલા અને ભારત રત્ન સ્વ.લતા મંગેશકરની યાદમાં, તેમના પરિવારે સોમવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની જાહેરાત કરી હતી.
લતા મંગેશકર અને તેમના પિતા દીનાનાથ મંગેશકરની યાદમાં, આ પુરસ્કાર દર વર્ષે 24મી એપ્રિલે માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિ પર દેશની એવી વ્યક્તિને આપવામાં આવશે કે જેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હોય. આ વખતે પહેલો એવોર્ડ પીએમ મોદીના નામે કરવામાં આવ્યો છે.
એક બેઠક બાદ મંગેશકર પરિવારે એક નિવેદનમાં કહ્યું, “આ વર્ષે ગુરુ દીનાનાથ જીનો 80મો સ્મૃતિ દિવસ છે અને તે પ્રસંગે અમે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. આ પુરસ્કાર દર વર્ષે માત્ર એક જ વ્યક્તિને આપવામાં આવશે જેણે રાષ્ટ્ર અને સમાજ માટે માર્ગદર્શક તરીકે સેવા આપીને ઉત્કૃષ્ટ અને અનુકરણીય યોગદાન આપ્યું હોય.