Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો હવેથી બળાત્કાર ગણાશે કારણ કે, આવી હરકત મહિલાઓના સમ્માનને ઠેસ પહોંચાડે છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની ખંડપીઠે એક ચૂકાદો આપતા આ વાત કરી હતી.

ખંડપીઠે કહ્યું કે ઘણીવાર એવું બને કે પીડિત અને રેપ કરનારા આરોપી બંને પોત-પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે, તેઓ પોત-પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે કોઇ ગુનો નથી કર્યો, તેમની આ હરકતને હંમેશા ગુનો માનવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ આધુનિક સમાજમાં વધી રહી છે

જણાવી દઈએ કે, કોર્ટે આ નિર્ણય એક મહિલાની ફરિયાદના આધારે આપ્યો છે. છત્તીસગઢની મહિલાએ એક ડોક્ટર પર 2013માં તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા બિલાસપુરની નિવાસી છે અને 2009થી ડોક્ટરથી પરિચિત હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ડોક્ટરએ એ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બંને પક્ષના પરિવાર પણ આ વાત સારી રીતે જાણતા હતા.

આરોપીની બાદમાં એક બીજી મહિલા સાથે સગાઇ થઇ ગઇ, પરંતુ તેણે પીડિતાની સાથે સંબંધ તોડ્યો નહીં. ત્યારબાદ પોતાનો વાયદો તોડી નાખ્યો અને કોઇ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો હવેથી બળાત્કાર ગણાશે કારણ કે, આવી હરકત મહિલાઓના સમ્માનને ઠેસ પહોંચાડે છે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને એમ આર શાહની ખંડપીઠે એક ચૂકાદો આપતા આ વાત કરી હતી.

ખંડપીઠે કહ્યું કે ઘણીવાર એવું બને કે પીડિત અને રેપ કરનારા આરોપી બંને પોત-પોતાના જીવનમાં આગળ નીકળી જાય છે, તેઓ પોત-પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે કોઇ ગુનો નથી કર્યો, તેમની આ હરકતને હંમેશા ગુનો માનવામાં આવશે. કોર્ટે સ્વીકાર્યું કે આવી ઘટનાઓ આધુનિક સમાજમાં વધી રહી છે

જણાવી દઈએ કે, કોર્ટે આ નિર્ણય એક મહિલાની ફરિયાદના આધારે આપ્યો છે. છત્તીસગઢની મહિલાએ એક ડોક્ટર પર 2013માં તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા બિલાસપુરની નિવાસી છે અને 2009થી ડોક્ટરથી પરિચિત હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપી ડોક્ટરએ એ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. બંને પક્ષના પરિવાર પણ આ વાત સારી રીતે જાણતા હતા.

આરોપીની બાદમાં એક બીજી મહિલા સાથે સગાઇ થઇ ગઇ, પરંતુ તેણે પીડિતાની સાથે સંબંધ તોડ્યો નહીં. ત્યારબાદ પોતાનો વાયદો તોડી નાખ્યો અને કોઇ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ