-
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગ્ગીની હત્યા બદલ સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મોતની સજા આપવાની માંગ સરકારી વકીલે કરી છે. તેમણે બચાવ કર્યો કે આ કેસમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કોઇ સંડોવણી નથી. નોંધનીય છે કે 2 ઓક્ટોબરના રોજ આ પત્રકારની સાઉદી કોન્સુલની કચેરીમાં જ હત્યા કરવામાં આવી હતી. તેના શરીરના ટુકડા કરીને એસિડમાં ઓગાળીને કોન્સુલની બિલ્ડિંગની ગટરમાં નાંખી દેવામાં આવ્યાં હતા. કુલ 21 અધિકારીઓ અટકાયતમાં છે. તેમાંથી 5 જણાંએ પોતાનો ગુનો કબૂલ્યો છે.
-
અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગ્ગીની હત્યા બદલ સાઉદી અરેબિયાના પાંચ અધિકારીઓને મોતની સજા આપવાની માંગ સરકારી વકીલે કરી છે. તેમણે બચાવ કર્યો કે આ કેસમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કોઇ સંડોવણી નથી. નોંધનીય છે કે 2 ઓક્ટોબરના રોજ આ પત્રકારની સાઉદી કોન્સુલની કચેરીમાં જ હત્યા કરવામાં આવી હતી. તેના શરીરના ટુકડા કરીને એસિડમાં ઓગાળીને કોન્સુલની બિલ્ડિંગની ગટરમાં નાંખી દેવામાં આવ્યાં હતા. કુલ 21 અધિકારીઓ અટકાયતમાં છે. તેમાંથી 5 જણાંએ પોતાનો ગુનો કબૂલ્યો છે.