મધ્યપ્રદેશમાં રાજગઢ વિસ્તારમાં આયોજિત કેમ્પમાં બજરંગદળના કાર્યકર્તાઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગની સાથે લાઠી ચલાવવાની તાલીમ પણ અપાઈ રહી છે. બજરંગદળના જિલ્લા સંયોજક દેવીસિંહ સિંધિયાએ જણાવ્યુ છે કે આ એક નિયમિત શિબિર છે અને તેને દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. ટ્રેનિંગ કેમ્પનો ઉદેશ્ય રાષ્ટ્રવિરોધી શક્તિઓ અને લવજેહાદનો સામનો કરવાનો છે.