-
દુષ્કર્મના બનાવો માટે ચર્ચામાં રહેતા રાજ્ય હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મહિલાઓ-યુવતીઓ દ્વારા રેપ કેસની કરાતી ફરિયાદોનું પોતીની રીતે કંઇક એવું વિચિત્ર તારણ તારવ્યું છે કે "દુષ્કર્મના કેસ વધ્યાં નથી. પહેલાં પણ થતા હતા, આજે પણ થાય છે. પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ પ્રકારની 80થી 90 ઘટનાઓ જાણકારો વચ્ચે થાય છે. તેઓ એક બીજાને જાણતા હોય છે. ઘણી ઘટનાઓ તો એવી હોય છે કે ઘણાં સમય સુધી સાથે ફરે છે અને પછી થોડીક વાતમાં અણબનાવ થાય ત્યારે તે દિવસે પોલીસમાં જઈને FIR દાખલ કરાવે છે કે તેને મારો રેપ કર્યો....!." દરમ્યાનમાં કોંગ્રેસે દુષ્કર્મની ઘટનાઓ પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આપવામાં આવેલા આ વિવાદી નિવેદનની નિંદા કરી છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મહિલા વિરોધી નિવેદન માટે ભાજપના મુખ્યમંત્રી ખટ્ટરે માફી માંગવી જોઈએ.
-
દુષ્કર્મના બનાવો માટે ચર્ચામાં રહેતા રાજ્ય હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મહિલાઓ-યુવતીઓ દ્વારા રેપ કેસની કરાતી ફરિયાદોનું પોતીની રીતે કંઇક એવું વિચિત્ર તારણ તારવ્યું છે કે "દુષ્કર્મના કેસ વધ્યાં નથી. પહેલાં પણ થતા હતા, આજે પણ થાય છે. પરંતુ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ પ્રકારની 80થી 90 ઘટનાઓ જાણકારો વચ્ચે થાય છે. તેઓ એક બીજાને જાણતા હોય છે. ઘણી ઘટનાઓ તો એવી હોય છે કે ઘણાં સમય સુધી સાથે ફરે છે અને પછી થોડીક વાતમાં અણબનાવ થાય ત્યારે તે દિવસે પોલીસમાં જઈને FIR દાખલ કરાવે છે કે તેને મારો રેપ કર્યો....!." દરમ્યાનમાં કોંગ્રેસે દુષ્કર્મની ઘટનાઓ પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આપવામાં આવેલા આ વિવાદી નિવેદનની નિંદા કરી છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મહિલા વિરોધી નિવેદન માટે ભાજપના મુખ્યમંત્રી ખટ્ટરે માફી માંગવી જોઈએ.