-
જાણીતી રેટીંગ એજન્સી ક્રિસિલ દ્વારા પંજાબ નેશનલ બેંકને ટ્રિપલ એ(AAA) અને ડબલ એ(AA)ની રેટીંગ આપવામાં આવેલી છે. પરંતુ નિરવ મોદી કાંડમાં બેંકને 11 હજાર કરોડનું નુકશાન અને આ કૌભાંડમાં બેંકના લાલચુડા અને ભ્રષ્ટ કર્મચારીઓની સંડોવણી બહાર આવતાં એજન્સી સમગ્ર બાબતોનો અભ્યાસ કરીને પીએનબીના વર્તમાન રેટીંગમાં સુધારો એટલે કે લગભગ તો ઘટાડો જ કરે તેમ માનવામાં આવી રહ્યું છે. એજન્સીએ પીએનબી પર પોતાની રીતે મૂલ્યાંકન શરૂ કર્યું છે. એજન્સી હવે પીએનબીને કઇ રેટીંગ આપે છે તેની અસર શેરબજારમાં બેંકના શેરો પર પડવાની શક્યતા છે.
-
જાણીતી રેટીંગ એજન્સી ક્રિસિલ દ્વારા પંજાબ નેશનલ બેંકને ટ્રિપલ એ(AAA) અને ડબલ એ(AA)ની રેટીંગ આપવામાં આવેલી છે. પરંતુ નિરવ મોદી કાંડમાં બેંકને 11 હજાર કરોડનું નુકશાન અને આ કૌભાંડમાં બેંકના લાલચુડા અને ભ્રષ્ટ કર્મચારીઓની સંડોવણી બહાર આવતાં એજન્સી સમગ્ર બાબતોનો અભ્યાસ કરીને પીએનબીના વર્તમાન રેટીંગમાં સુધારો એટલે કે લગભગ તો ઘટાડો જ કરે તેમ માનવામાં આવી રહ્યું છે. એજન્સીએ પીએનબી પર પોતાની રીતે મૂલ્યાંકન શરૂ કર્યું છે. એજન્સી હવે પીએનબીને કઇ રેટીંગ આપે છે તેની અસર શેરબજારમાં બેંકના શેરો પર પડવાની શક્યતા છે.