-
બે જૈન સાધ્વીઓએ કેટલાક લોકો દ્વારા તેમનાં પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ કરી છે. આ બે યુવાન સાધ્વીઓએ છત્તીસગઢના સીએમ રમણ સિંહ ને પત્ર લખીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 2 માર્ચ ના રોજ છત્તીસગઢના પેન્દ્રા વિસ્તારમાં તેઓ જઇ રહ્યાં હતા ત્યારે બંદૂકની અણીએ ચાર લોકોએ તેમનાં પર રેપ કર્યો અને ત્યારબાદ તેમને એક કોન્ટ્રેક્ટ કિલરને સોંપી દેવામાં આવી હતી. તેણે પણ તેમના પર રેપ કર્યો પરતું રેપ કર્યા બાદ તેમની હત્યા કરવાને બદલે તેને તેમની દયા આવી અને મોઢું બંધ રાખવાની ધમકી આપીને છોડી દીધી હતી. આ ઘટનાને કારણે તેઓ બે મહિના સુધી માનસિક આઘાતમાં હતાં અને તેમાંથી બહાર આવ્યા બાદ તેઓએ મુખ્યમંત્રીને જાણ કરી છે. સીએમ ના આદેશના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
બે જૈન સાધ્વીઓએ કેટલાક લોકો દ્વારા તેમનાં પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ કરી છે. આ બે યુવાન સાધ્વીઓએ છત્તીસગઢના સીએમ રમણ સિંહ ને પત્ર લખીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 2 માર્ચ ના રોજ છત્તીસગઢના પેન્દ્રા વિસ્તારમાં તેઓ જઇ રહ્યાં હતા ત્યારે બંદૂકની અણીએ ચાર લોકોએ તેમનાં પર રેપ કર્યો અને ત્યારબાદ તેમને એક કોન્ટ્રેક્ટ કિલરને સોંપી દેવામાં આવી હતી. તેણે પણ તેમના પર રેપ કર્યો પરતું રેપ કર્યા બાદ તેમની હત્યા કરવાને બદલે તેને તેમની દયા આવી અને મોઢું બંધ રાખવાની ધમકી આપીને છોડી દીધી હતી. આ ઘટનાને કારણે તેઓ બે મહિના સુધી માનસિક આઘાતમાં હતાં અને તેમાંથી બહાર આવ્યા બાદ તેઓએ મુખ્યમંત્રીને જાણ કરી છે. સીએમ ના આદેશના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.