પંજાબનાં અમૃતસર નજીક રાજાસાંસી ગામ ખાતે નિરંકારી ભવન પર બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરો દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ૨૦થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હતી, જેમાં ૨ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પોલીસે ઘટનાને પગલે આખા પંજાબ અને દિલ્હીમાં એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસ ઘટનાની આતંકી હુમલાનાં એંગલથી તપાસ કરી રહી છે અને બે શકમંદોની ધરપકડ કરાઈ છે. હુમલો થયો ત્યારે ડેરામાં સત્સંગ ચાલી રહ્યો હતો અને ૨૫૦થી વધુ લોકો હાજર હતાં. પંજાબમાં ઉગ્રવાદની શરૂઆત ૧૯૭૮માં નિરંકારી ભવન પર હુમલાથી થઈ હતી. હુમલા પછી દિલ્હીનાં નિરંકારી ભવનની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ હુમલામાં આંતરરાષ્ટ્રીય તાર જોડાયેલા હોવાની શંકા સેવી રહી છે.
પંજાબનાં અમૃતસર નજીક રાજાસાંસી ગામ ખાતે નિરંકારી ભવન પર બાઇક પર આવેલા ત્રણ હુમલાખોરો દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ૨૦થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ હતી, જેમાં ૨ની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. પોલીસે ઘટનાને પગલે આખા પંજાબ અને દિલ્હીમાં એલર્ટ જાહેર કર્યું હતું. પોલીસ ઘટનાની આતંકી હુમલાનાં એંગલથી તપાસ કરી રહી છે અને બે શકમંદોની ધરપકડ કરાઈ છે. હુમલો થયો ત્યારે ડેરામાં સત્સંગ ચાલી રહ્યો હતો અને ૨૫૦થી વધુ લોકો હાજર હતાં. પંજાબમાં ઉગ્રવાદની શરૂઆત ૧૯૭૮માં નિરંકારી ભવન પર હુમલાથી થઈ હતી. હુમલા પછી દિલ્હીનાં નિરંકારી ભવનની સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસ હુમલામાં આંતરરાષ્ટ્રીય તાર જોડાયેલા હોવાની શંકા સેવી રહી છે.