હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે તેમજ ભૂસ્ખલનથી કુલ ૧૮ લોકોનાં મોત થયાં હતાં. સોલન જિલ્લામાં એક પહાડ તૂટી પડવાથી એક જ પરિવારનાં પાંચ લોકો જીવતાં દટાઈ ગયાં હતાં. ઠેરઠેર જમીન અને પહાડો ધસી પડવાની ઘટના બની હતી, પરિણામે માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો અને જનજીવન ઠપ થઈ ગયું હતું. રાજ્યના ૧૨માંથી ૧૧ જિલ્લા શિમલા, મંડી, કુલુ, ચંબા, હમીરપુર, સોલન, બિલાસપુર, કિન્નોર તેમજ ઊનામાં સત્તાવાળાઓએ ભીષણ વરસાદને કારણે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે તેમજ ભૂસ્ખલનથી કુલ ૧૮ લોકોનાં મોત થયાં હતાં. સોલન જિલ્લામાં એક પહાડ તૂટી પડવાથી એક જ પરિવારનાં પાંચ લોકો જીવતાં દટાઈ ગયાં હતાં. ઠેરઠેર જમીન અને પહાડો ધસી પડવાની ઘટના બની હતી, પરિણામે માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો હતો અને જનજીવન ઠપ થઈ ગયું હતું. રાજ્યના ૧૨માંથી ૧૧ જિલ્લા શિમલા, મંડી, કુલુ, ચંબા, હમીરપુર, સોલન, બિલાસપુર, કિન્નોર તેમજ ઊનામાં સત્તાવાળાઓએ ભીષણ વરસાદને કારણે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી.