હાલમાં જ સંપન્ન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવી હતી. સોમવારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદે કમલનાથ, રાજસ્થાનના સીએમ તરીકે અશોક ગેહલોત ડે. સીએમ તરીકે સચિન પાઇલટ અને છત્તીસગઢના સીએમ તરીકે ભૂપેશ બઘેલે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
મધ્ય પ્રદેશમાં કમલનાથે શપથ લીધાના બે કલાકમાં જ ખેડૂતોની દેવાંમાફીના કાગળો પર સહીઓ કરી હતી અને તમામ ખેડૂતોની રૂ. ૨ લાખ સુધીની કૃષિલોન માફ કરી હતી. ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લઈને કોંગ્રેસે ખેડૂતોને આપેલું ચૂંટણીનું વચન પાળ્યું હતું.
હાલમાં જ સંપન્ન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓની મુખ્ય પ્રધાનપદે વરણી કરવામાં આવી હતી. સોમવારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદે કમલનાથ, રાજસ્થાનના સીએમ તરીકે અશોક ગેહલોત ડે. સીએમ તરીકે સચિન પાઇલટ અને છત્તીસગઢના સીએમ તરીકે ભૂપેશ બઘેલે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા.
મધ્ય પ્રદેશમાં કમલનાથે શપથ લીધાના બે કલાકમાં જ ખેડૂતોની દેવાંમાફીના કાગળો પર સહીઓ કરી હતી અને તમામ ખેડૂતોની રૂ. ૨ લાખ સુધીની કૃષિલોન માફ કરી હતી. ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લઈને કોંગ્રેસે ખેડૂતોને આપેલું ચૂંટણીનું વચન પાળ્યું હતું.