કેન્દ્રીય સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું છે કે ભારતના મુસ્લિમ પ્રભુ રામના વંશજ છે, તેઓ મુગલના વંશજ નથી. તેથી રામમંદિરનો વિરોધ ના કરે અને મંદિર નિર્માણના સમર્થનમાં આવે નહિતર હિંદુ તેમનાથી નારાજ થઈ જશે. હિંદુ મુસ્લિમોને નફરત કરવા લાગશે, તે નફરત જો જ્વાળામાં બદલાઈ ગઈ તો મુસ્લિમો વિચારે કે તે પછી શું થશે? સબકા સાથ સબકા વિકાસનું રટણ કરનારા કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રામમંદિર જરૂર બનવું જોઈએ. આ મુદ્દો કેન્સરના બીજા સ્ટેજ જેવો છે. રામમંદિર નહીં બને તો પછી તે કેન્સર ઉપચારહીન થઈ જશે. ગિરિરાજસિંહ જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજિત જનસંખ્યા કાયદા રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે વિસ્તારમાં હિંદુઓની વસતી ઓછી છે, તે વિસ્તારમાં તેમનો અવાજ પણ સંભળાતો બંધ થઈ જતો હોય છે.
કેન્દ્રીય સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગ પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું છે કે ભારતના મુસ્લિમ પ્રભુ રામના વંશજ છે, તેઓ મુગલના વંશજ નથી. તેથી રામમંદિરનો વિરોધ ના કરે અને મંદિર નિર્માણના સમર્થનમાં આવે નહિતર હિંદુ તેમનાથી નારાજ થઈ જશે. હિંદુ મુસ્લિમોને નફરત કરવા લાગશે, તે નફરત જો જ્વાળામાં બદલાઈ ગઈ તો મુસ્લિમો વિચારે કે તે પછી શું થશે? સબકા સાથ સબકા વિકાસનું રટણ કરનારા કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રામમંદિર જરૂર બનવું જોઈએ. આ મુદ્દો કેન્સરના બીજા સ્ટેજ જેવો છે. રામમંદિર નહીં બને તો પછી તે કેન્સર ઉપચારહીન થઈ જશે. ગિરિરાજસિંહ જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજિત જનસંખ્યા કાયદા રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જે વિસ્તારમાં હિંદુઓની વસતી ઓછી છે, તે વિસ્તારમાં તેમનો અવાજ પણ સંભળાતો બંધ થઈ જતો હોય છે.