માલદીવ અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો તંગ બન્યા હોવાના અહેવાલ છે. માલદીવે ભારત સરકાર તરફથી મળેલા બે નવીના હેલિકોપ્ટરોમાંથી એક પાછું લઈ જવા માટે કહ્યું છે. જોકે, સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે હાલ તેને લઈને અબ્દુલ્લા યામીનની સરકાર સાથે વાત ચાલી રહી છે. માલદીવ ભારતના ધ્રુવ અડવોન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH)ના બદલે ડોર્નિયર મેરિટાઈમ સર્વિલન્સ એરક્રાફ્ટ ઈચ્છે છે.