કોલકાતામાં વિપક્ષ દ્વારા શનિવારે કરાયેલાં શક્તિપ્રદર્શન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગોવાનાં પાંચ શહેરોના ભાજપ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં રવિવારે જણાવ્યું હતું કે, વિપક્ષનું મહાગઠબંધન અસામાન્ય હતું, આ ગઠબંધન ભ્રષ્ટાચારીઓ, કૌભાંડ, નકારાત્મકતા અને અસ્થિરતાનું જોડાણ છે. વિપક્ષોએ ભલે એકબીજા સાથે ગઠબંધન રચ્યું હોય પરંતુ ભાજપે દેશની ૧૨૫ કરોડ જનતા સાથે જોડાણ કર્યું છે. તમને કયું જોડાણ મજબૂત લાગે છે? કોલકાતામાં આયોજિત રેલીના મંચ પર કાં તો પ્રભાવશાળી લોકોનાં સંતાનો હતાં અથવા તો પોતાનાં સંતાનોને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરનારાં લોકો હતાં. તેમની પાસે ધનશક્તિ છે તો અમારી પાસે જનશક્તિ છે.
કોલકાતામાં વિપક્ષ દ્વારા શનિવારે કરાયેલાં શક્તિપ્રદર્શન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર અને ગોવાનાં પાંચ શહેરોના ભાજપ કાર્યકર્તાઓને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં રવિવારે જણાવ્યું હતું કે, વિપક્ષનું મહાગઠબંધન અસામાન્ય હતું, આ ગઠબંધન ભ્રષ્ટાચારીઓ, કૌભાંડ, નકારાત્મકતા અને અસ્થિરતાનું જોડાણ છે. વિપક્ષોએ ભલે એકબીજા સાથે ગઠબંધન રચ્યું હોય પરંતુ ભાજપે દેશની ૧૨૫ કરોડ જનતા સાથે જોડાણ કર્યું છે. તમને કયું જોડાણ મજબૂત લાગે છે? કોલકાતામાં આયોજિત રેલીના મંચ પર કાં તો પ્રભાવશાળી લોકોનાં સંતાનો હતાં અથવા તો પોતાનાં સંતાનોને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કરનારાં લોકો હતાં. તેમની પાસે ધનશક્તિ છે તો અમારી પાસે જનશક્તિ છે.