જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલાં ફાયરિંગમાં બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર શહીદ થયા હતા. બીએસએફના કેટલાક જવાન મંગળવારે સવારે સરહદ પર સરકંડા સાફ કરવા ગયા હતા ત્યારે જ પાકિસ્તાની રેન્જરો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર ઘાયલ થયા હતા. પાકિસ્તાનની બેટ ટીમ ઘાયલ હેડકોન્સ્ટેબલને ઉઠાવીને પોતાની સાથે લઈ ગઈ હતી અને ત્યાં ક્રૂરતાથી ગળું કાપીને હત્યા કરી તેમનો મૃતદેહ પાછો નાખી ગઈ હતી. હેડકોન્સ્ટેબલ બપોરથી લાપતા હતા. મોડી સાંજે ૬ કલાક બાદ તેમનો મૃતદેહ પાકિસ્તાની સરહદમાં ૩થી ૪ મીટર અંદર મળી આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલાં ફાયરિંગમાં બીએસએફના હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર શહીદ થયા હતા. બીએસએફના કેટલાક જવાન મંગળવારે સવારે સરહદ પર સરકંડા સાફ કરવા ગયા હતા ત્યારે જ પાકિસ્તાની રેન્જરો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર ઘાયલ થયા હતા. પાકિસ્તાનની બેટ ટીમ ઘાયલ હેડકોન્સ્ટેબલને ઉઠાવીને પોતાની સાથે લઈ ગઈ હતી અને ત્યાં ક્રૂરતાથી ગળું કાપીને હત્યા કરી તેમનો મૃતદેહ પાછો નાખી ગઈ હતી. હેડકોન્સ્ટેબલ બપોરથી લાપતા હતા. મોડી સાંજે ૬ કલાક બાદ તેમનો મૃતદેહ પાકિસ્તાની સરહદમાં ૩થી ૪ મીટર અંદર મળી આવ્યો હતો.