પોતાની વિદેશયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિ મોહમ્મદ સાથે મુલાકાત યોજી હતી. પીએમ મોદીએ તેમને નવી જવાબદારી માટે શુભકામના પાઠવી હતી. આ યાત્રાથી ભારત અને આસિયાન દેશોમાં સામુહિક વિકાસને મદદ મળશે. મલેશિયા યાત્રા પછી પીએમ મોદી ત્રણ દિવસીયની સિંગાપુર યાત્રાએ જશે. તે ભારતના પ્રથમ વડાપ્રધાન છે જે શાંગ્રિલા વાર્તામાં , મુખ્ય ભાષણ આપશે.