મધ્ય પ્રદેશમાં પરાજય બાદ પહેલી પત્રકાર પરિષદમાં ભાવુક બનેલા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પરાજયની જવાબદારી મારી છે. અમને ચૂંટણીમાં ધાર્યા પ્રમાણે સફળતા મળી નથી, પરંતુ અમે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા તૈયાર છીએ. આજથી મારી ચોકીદારીનું કામ શરૂ થાય છે, હવે અમે 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરીશું અને મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી સરકાર બનાવીશું. રાજ્યનાં 7.5 કરોડ લોકો મારા પરિવારના સભ્ય છે, તેમનાં સુખ-દુઃખ મારાં છે, મેં સંપૂર્ણ ક્ષમતાથી મારી ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ અને જનતાનું કલ્યાણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં કોઈ કસર બાકી રાખી નથી, જાણ્યે-અજાણ્યે મારાં કામ અથવા શબ્દો દ્વારા કોઈને કષ્ટ થયું છે તો હું ક્ષમા માગું છું.
મધ્ય પ્રદેશમાં પરાજય બાદ પહેલી પત્રકાર પરિષદમાં ભાવુક બનેલા શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પરાજયની જવાબદારી મારી છે. અમને ચૂંટણીમાં ધાર્યા પ્રમાણે સફળતા મળી નથી, પરંતુ અમે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા તૈયાર છીએ. આજથી મારી ચોકીદારીનું કામ શરૂ થાય છે, હવે અમે 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરીશું અને મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી સરકાર બનાવીશું. રાજ્યનાં 7.5 કરોડ લોકો મારા પરિવારના સભ્ય છે, તેમનાં સુખ-દુઃખ મારાં છે, મેં સંપૂર્ણ ક્ષમતાથી મારી ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ અને જનતાનું કલ્યાણ કરવાનો પ્રયાસ કર્યો છે, તેમાં કોઈ કસર બાકી રાખી નથી, જાણ્યે-અજાણ્યે મારાં કામ અથવા શબ્દો દ્વારા કોઈને કષ્ટ થયું છે તો હું ક્ષમા માગું છું.