“જો વડાપ્રધાન પાસે ઉદ્ઘાટન માટે સમય નથી અને 31 મે સુધી ઉદ્ઘાટન ન થાય તો જૂનમાં તેને પબ્લિક માટે ખોલી દો” તેમ સુપ્રીમકોર્ટે એક અરજી સંદર્ભે કહ્યું છે. સુપ્રીમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે વડાપ્રધાન પાસે ઉદ્ઘાટન કરાવવાની રાહ જોવાની જરુર નથી. આ પેરિફેરલ એક્સપ્રેસ-વેથી હરિયાણા થઈને જનારા ટ્રકોને દિલ્હીમાં પ્રવેશ ન કરવો પડે.