જેટ એરવેઝના પાઇલટ અને ક્રૂની અક્ષમ્ય ભૂલને કારણે ગુરુવારે મુંબઈથી અજમેર જઈ રહેલા ૧૬૬ પ્રવાસીઓને ભયાનક યાતનામાંથી પસાર થવું પડયું હતું. ગુરુવારે સવારે ૫.૫૨ કલાકે જેટ એરવેઝની મુંબઈથી અજમેર જઈ રહેલી ૯ડબ્લ્યૂ૬૯૭ ફ્લાઇટનું બોઇંગ ૭૩૭ પ્રકારનાં વિમાને ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ દરમિયાન કેબિન ક્રૂના સભ્યો કેબિનપ્રેશર જાળવતી સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયા હતા. જેને કારણે કેબિનપ્રેશર ઘટી જતાં ૧૬૬ પ્રવાસીઓને ૨૫ મિનિટ સુધી નર્ક જેવી યાતનાઓ સહન કરવી પડી હતી. ઘણા પ્રવાસીઓના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
જેટ એરવેઝના પાઇલટ અને ક્રૂની અક્ષમ્ય ભૂલને કારણે ગુરુવારે મુંબઈથી અજમેર જઈ રહેલા ૧૬૬ પ્રવાસીઓને ભયાનક યાતનામાંથી પસાર થવું પડયું હતું. ગુરુવારે સવારે ૫.૫૨ કલાકે જેટ એરવેઝની મુંબઈથી અજમેર જઈ રહેલી ૯ડબ્લ્યૂ૬૯૭ ફ્લાઇટનું બોઇંગ ૭૩૭ પ્રકારનાં વિમાને ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ દરમિયાન કેબિન ક્રૂના સભ્યો કેબિનપ્રેશર જાળવતી સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયા હતા. જેને કારણે કેબિનપ્રેશર ઘટી જતાં ૧૬૬ પ્રવાસીઓને ૨૫ મિનિટ સુધી નર્ક જેવી યાતનાઓ સહન કરવી પડી હતી. ઘણા પ્રવાસીઓના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું હતું.