-
યુપી સરકારમાં ઓમપ્રકાશ રાજભર કેબિનેટ મંત્રી છે. તેઓ પાર્ટી લાઇનથી હટીને લોકોની પડતી મુશ્કેલીઓને વાચા આપે છે. તેમણે માંગ કરી છે કે જો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તે 500 અને 2000ની નોટો બંધ કરીને ફરીથી નોટબંધી કરવી જોઇએ....! બે વર્ષ પહેલા કાળા નાણાંને રોકવા અને દેશની તમામ સમસ્યાઓની એક જ દવા નોટબંધી છે એમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે 500 અને 1000ની નોટો બંધ કરીને 500ની નવી અને ચલણમાં 2000ની નવી નોટો મૂકી ત્યારે લોકોને નવાઇ લાગી હતી. કેમ કે સરકારે જ દાવો કર્યો હતો કે મોટી નોટોથી કાળુનાણુ વધે છે તેથી 500 અને 1000ની નોટો બંધ કરી પરંતુ એ દાવાની સામે સવાલો થાય એમ સરકારે જ 2000ની નોટ દાખલ કરી હતી. મંત્રી રાજભરે કહ્યું કે માત્ર 100 રૂપિયા સુધીની જ નોટો બજારમાં હોવી જોઇએ.
-
યુપી સરકારમાં ઓમપ્રકાશ રાજભર કેબિનેટ મંત્રી છે. તેઓ પાર્ટી લાઇનથી હટીને લોકોની પડતી મુશ્કેલીઓને વાચા આપે છે. તેમણે માંગ કરી છે કે જો દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તે 500 અને 2000ની નોટો બંધ કરીને ફરીથી નોટબંધી કરવી જોઇએ....! બે વર્ષ પહેલા કાળા નાણાંને રોકવા અને દેશની તમામ સમસ્યાઓની એક જ દવા નોટબંધી છે એમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે વખતે 500 અને 1000ની નોટો બંધ કરીને 500ની નવી અને ચલણમાં 2000ની નવી નોટો મૂકી ત્યારે લોકોને નવાઇ લાગી હતી. કેમ કે સરકારે જ દાવો કર્યો હતો કે મોટી નોટોથી કાળુનાણુ વધે છે તેથી 500 અને 1000ની નોટો બંધ કરી પરંતુ એ દાવાની સામે સવાલો થાય એમ સરકારે જ 2000ની નોટ દાખલ કરી હતી. મંત્રી રાજભરે કહ્યું કે માત્ર 100 રૂપિયા સુધીની જ નોટો બજારમાં હોવી જોઇએ.