દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઓનલાઇન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાન ફ્લોર લીડર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી 94 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 24 કલાકમાં ભારતમાં 38.772 કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ દરમિયાન 443 દર્દીનાં મોત થયા છે, જ્યારે 45,152 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના મહામારીથી 1.37 લાખ દર્દીઓનાં મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાને લઈ બચાવના ઉપાયો પર ચર્ચા અને રણનીતિ તૈયાર કરવાને લઈ કેન્દ્ર સરકારે 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઓનલાઇન બેઠકમાં લોકસભા અને રાજ્યસભાન ફ્લોર લીડર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી 94 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 24 કલાકમાં ભારતમાં 38.772 કોરોના સંક્રમિત સામે આવ્યા છે. આ દરમિયાન 443 દર્દીનાં મોત થયા છે, જ્યારે 45,152 લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોના મહામારીથી 1.37 લાખ દર્દીઓનાં મોત થયા છે.