ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ ચૂંટણી (byElection) યોજાશે. તો 10 નવેમ્બરે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ સાથે 8 બેઠકો મતવિસ્તારમાં ક્ષેત્રમાં આચાર સંહિતાનો અમલની જાહેરાત કરવામાં આવી.
ક્યાં ક્યાં ચૂંટણી થશે
ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.
દેશભરમાં 56 સીટ પર પેટાચૂંટણી યોજાશે
ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સીટ પર 3 નવેમ્બરના રોજ વોટિંગ થશે. અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. જોકે, ઈલેક્શન પંચે એ જાહેરાત કરી કે, આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર પેટાચૂંટણી નહિ થાય. જે સીટ પર પેટાચૂંટણી નહિ થાય તેમાં આસામની રંગપારા સીટ, સિબસાગર સીટ, કેરળની કુટ્ટુનાદ અને ચવારા સીટ, તમિલનાડુની તિરુવોટિયૂર, ગુડિયાટ્ટમ અને કેલિકટની સીટ છે. આ સીટ પર ક્યારેય ચૂંટણી કરવી તે અંગેનો નિર્ણય ચૂંટણી પંચ રાજ્યો સાથેની વાતચીત કર્યા બાદ લેશે.
ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ ચૂંટણી (byElection) યોજાશે. તો 10 નવેમ્બરે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાની સાથે જ સાથે 8 બેઠકો મતવિસ્તારમાં ક્ષેત્રમાં આચાર સંહિતાનો અમલની જાહેરાત કરવામાં આવી.
ક્યાં ક્યાં ચૂંટણી થશે
ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.
દેશભરમાં 56 સીટ પર પેટાચૂંટણી યોજાશે
ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર સહિત અનેક પ્રદેશોની 56 વિધાનસભા સટી અને એક લોકસભા સટી પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સીટ પર 3 નવેમ્બરના રોજ વોટિંગ થશે. અને 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. જોકે, ઈલેક્શન પંચે એ જાહેરાત કરી કે, આસામ, કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની 7 સીટ પર પેટાચૂંટણી નહિ થાય. જે સીટ પર પેટાચૂંટણી નહિ થાય તેમાં આસામની રંગપારા સીટ, સિબસાગર સીટ, કેરળની કુટ્ટુનાદ અને ચવારા સીટ, તમિલનાડુની તિરુવોટિયૂર, ગુડિયાટ્ટમ અને કેલિકટની સીટ છે. આ સીટ પર ક્યારેય ચૂંટણી કરવી તે અંગેનો નિર્ણય ચૂંટણી પંચ રાજ્યો સાથેની વાતચીત કર્યા બાદ લેશે.