સુશાંત કેસમાં એક તરફ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને બિહાર પોલીસ પણ સક્રિય થઈ છે ત્યાં બિહારની સરકારની અપીલથી કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં એફઆઈઆર ફાઈલ કરી દેવાઈ છે અને વિગતે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આગામી સમયમાં ઘણા રહસ્યો ઉજાગર થાય તેવી શંકા સેવાઈ રહી છે. સીબીઆઈએ રિયા ચક્રવતી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શૌવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદીની સામે એફઆઈઆર દાખલ કરી છે.
સુશાંત કેસમાં એક તરફ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને બિહાર પોલીસ પણ સક્રિય થઈ છે ત્યાં બિહારની સરકારની અપીલથી કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. સીબીઆઈ દ્વારા આ કેસમાં એફઆઈઆર ફાઈલ કરી દેવાઈ છે અને વિગતે તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આગામી સમયમાં ઘણા રહસ્યો ઉજાગર થાય તેવી શંકા સેવાઈ રહી છે. સીબીઆઈએ રિયા ચક્રવતી, તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શૌવિક ચક્રવર્તી તથા સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદીની સામે એફઆઈઆર દાખલ કરી છે.