રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1570 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 91.15 ટકા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે અને ગ્રામ્યમાં એક મળીને કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1512 કેસ સામે આવ્યા છે. તો રાજ્યમાં કોરોના મહામારીને લીધે વધુ 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1570 દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2 લાખ 12 હજાર 769 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક વધીને 4018 થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1 લાખ 93 હજાર 938 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 91.15 ટકા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો સુરત શહેરમાં બે અને ગ્રામ્યમાં એક મળીને કુલ ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ગાંધીનગર, રાજકોટ અને સાબરકાંઠામાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 325 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરત જિલ્લામાં 252, વડોદરા 176, રાજકોટ 153, મહેસાણા 74, બનાસકાંઠા 44, ખેડા 42, દાહોદ 35, જામનગર 45, કચ્છ 28, પાટણ 28, પંચમહાલ 22, નવસારી 18, અમરેલી 20, સાબરકાંઠા 18, નર્મદા 14, ભાવનગર 18, આણંદ, મહિસાગર, જુનાગઢ અને મહીસાગરમાં 11-11, અરવલ્લીમાં 10, સુરેન્દ્રનગર 5, ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે.