ભારતમાં કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 61 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ આંશિક રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા કોરોના કેસો (India Coronavirus Cases)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રોજેરોજ 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા. પરંતુ થોડાક દિવસમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 70,589 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 776 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 61,45,292 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 51 લાખ 1 હજાર 398 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,47,576 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 96,318 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ભારતમાં કોવિડ-19 (Covid-19)થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 61 લાખને પાર થઈ ગઈ છે. પરંતુ બીજી તરફ આંશિક રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા કોરોના કેસો (India Coronavirus Cases)માં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે રોજેરોજ 90 હજારથી વધુ કેસો નોંધાતા હતા. પરંતુ થોડાક દિવસમાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 70,589 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 776 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 61,45,292 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 51 લાખ 1 હજાર 398 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,47,576 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 96,318 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.