રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના વધુ 7 કેસ આજે પોઝિટિવ નોંધાયા છે અને તમામ પોઝિટીવ દર્દીઓના કેસ અમદાવાદમાં નોધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે. બીજી બાજુ સારવાર બાદ અત્યાર સુધીમાં 10 લોકો સ્વસ્થ થયા છે અને 8 લોકોના મોત થયા છે.
આરોગ્ય સચિવે જણાવ્યું કે, અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન કેસમાં ચિંતાજનક વધારો થયો છે. નવા 7 કેસ પૈકી 6 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે કે હવે કોરોના લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફેલાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસના વધુ 7 કેસ આજે પોઝિટિવ નોંધાયા છે અને તમામ પોઝિટીવ દર્દીઓના કેસ અમદાવાદમાં નોધાયા છે. આ સાથે જ ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે. બીજી બાજુ સારવાર બાદ અત્યાર સુધીમાં 10 લોકો સ્વસ્થ થયા છે અને 8 લોકોના મોત થયા છે.
આરોગ્ય સચિવે જણાવ્યું કે, અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન કેસમાં ચિંતાજનક વધારો થયો છે. નવા 7 કેસ પૈકી 6 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે કે હવે કોરોના લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફેલાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આજે અમદાવાદમાં 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે.