સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે બંધ બારણે ગુપ્ત બેઠક થઈ હતી. બેઠક બાદ ભારતે જણાવ્યું હતું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે. જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો આતંકવાદ પર લગામ લગાવે. UNમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મિડીયાને બ્રિફીંગ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના 3 પત્રકારો હાજર હતા.
અકબરુદ્દીને પહેલાં પાકિસ્તાનના પત્રકારોને જ સવાલ પૂછવા કહ્યું હતુ. એક પત્રકારે પૂછ્યું, ‘ભારતની પાકિસ્તાન સાથે વાતચીત ક્યારે શરૂ થશે?’ જેના જવાબમાં અકબરુદ્દીન પોડિયમથી નીચે ઊતરીને પાક. પત્રકારો પાસે જઈ તેમની સાથે હાથ મિલાવીને બોલ્યા કે, ‘વાતચીતની શરૂઆત તમારાથી જ કરીએ’. રૂમમાં હાજર પત્રકારોએ અકબરુદ્દીનના આ પગલાંનું સ્વાગત કર્યું હતુ.
વચ્ચે કોઈ સંપર્ક નથી. તેથી અકબરુદ્દીને જણાવ્યું કે, ‘વાતચીત શરૂ કરવા માટે પહેલાં આતંકવાદ ખતમ કરો. પાકિસ્તાનનું વલણ સત્યથી વેગળુ છે. પાક. જેહાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે બંધ બારણે ગુપ્ત બેઠક થઈ હતી. બેઠક બાદ ભારતે જણાવ્યું હતું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે. જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો આતંકવાદ પર લગામ લગાવે. UNમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મિડીયાને બ્રિફીંગ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના 3 પત્રકારો હાજર હતા.
અકબરુદ્દીને પહેલાં પાકિસ્તાનના પત્રકારોને જ સવાલ પૂછવા કહ્યું હતુ. એક પત્રકારે પૂછ્યું, ‘ભારતની પાકિસ્તાન સાથે વાતચીત ક્યારે શરૂ થશે?’ જેના જવાબમાં અકબરુદ્દીન પોડિયમથી નીચે ઊતરીને પાક. પત્રકારો પાસે જઈ તેમની સાથે હાથ મિલાવીને બોલ્યા કે, ‘વાતચીતની શરૂઆત તમારાથી જ કરીએ’. રૂમમાં હાજર પત્રકારોએ અકબરુદ્દીનના આ પગલાંનું સ્વાગત કર્યું હતુ.
વચ્ચે કોઈ સંપર્ક નથી. તેથી અકબરુદ્દીને જણાવ્યું કે, ‘વાતચીત શરૂ કરવા માટે પહેલાં આતંકવાદ ખતમ કરો. પાકિસ્તાનનું વલણ સત્યથી વેગળુ છે. પાક. જેહાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.’